ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…

B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ વોલ્વો માટેનું બુકિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. જેના માટે GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

–> બુકિંગ કઈ રીતે કરશો?

* www.gsrtc.in સાઈટ ઓપન કર્યા બાદ Mahakumbh 2025 ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કર્યા બાદ select routes આવશે.

* અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું રહેશે.

* select bording point પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું select droping point અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું.

* onward પર ટેપ કરી તમારે જે તારીખે જવાનું છે તે સિલેક્ટ કરવાનું અને ત્યાર બાદ search પર ક્લિક કરશો. એટલે you have opted for package trip booking પર ok ક્લિક કરવાનું રહેશે.

* ત્યાર બાદ સીટ બુકિંગ કરવા માટેનું ઓપ્શન આવશે અને ત્યાર બાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પોતાની માહિતી એડ કરવાની રહેશે.

* book પર ક્લિક કરશો એટલે trip details આવી જશે. પેમેન્ટ ઓપ્શન આવશે. પેમેન્ટ કર્યા બાદ ટિકિટ બુકિંગ થઈ જશે.

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *