ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…

B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ વોલ્વો માટેનું બુકિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. જેના માટે GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

–> બુકિંગ કઈ રીતે કરશો?

* www.gsrtc.in સાઈટ ઓપન કર્યા બાદ Mahakumbh 2025 ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કર્યા બાદ select routes આવશે.

* અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું રહેશે.

* select bording point પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું select droping point અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું.

* onward પર ટેપ કરી તમારે જે તારીખે જવાનું છે તે સિલેક્ટ કરવાનું અને ત્યાર બાદ search પર ક્લિક કરશો. એટલે you have opted for package trip booking પર ok ક્લિક કરવાનું રહેશે.

* ત્યાર બાદ સીટ બુકિંગ કરવા માટેનું ઓપ્શન આવશે અને ત્યાર બાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પોતાની માહિતી એડ કરવાની રહેશે.

* book પર ક્લિક કરશો એટલે trip details આવી જશે. પેમેન્ટ ઓપ્શન આવશે. પેમેન્ટ કર્યા બાદ ટિકિટ બુકિંગ થઈ જશે.

Related Posts

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *