સુરતમાં ફરી શર્મસાર કરતી ઘટના, 4 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો ભોગ

B INDIA સુરત : સુરતમાં પલસાણાના એક ગામમાં શર્મસાર કરતી ઘટના બની છે. નરાધમે બાળકીને ઉઠાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા નોકરી ગયા હતા. આ સમય દરમિયાન ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

-> બાળકી પર દુષ્કર્મ :- મળતી માહિતી મુજબ, 4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન નરાધમ આવે છે અને બાળકીને કોઈ લાલચ આપીને લઈ જાય છે. દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બાળકી રડતા-રડતા ઘરે આવે છે અને સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહે છે. બાળકીને ગુપ્તાંગ ભાગેથી લોહી પણ નીકળ્યું હતુ. અને તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કડોદરા પોલીસ, એલસીબી પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે.

પરિવારજનો તરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને કડક પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

Major Fire 2026 At Gandhinagar New Sachivalaya : સચિવાલયના બ્લોક 9 માં શોર્ટ સર્કિટના કારણે આગ

Fire ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રેકોર્ડ બળીને ખાક થયા હોવાની માહિતી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ગાંધીનગરના નવા સચિવાલયમાં આગથી અફરાતફરી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ Fire લાગવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં લાગી હતી. બેઝમેન્ટમાં આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલા રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ સચિવાલય પરિસરમાં સુરક્ષા અને આગના…

World Lion Day 2026 Gujarat’s Pride ‘King Of The Jungle’ : ગરવી ગુજરાતના સાવજનું ગૌરવ

World Lion Day 2026 નિમિત્તે જાણો ગુજરાતના ગીરના એશિયાટિક સિંહો વિશે. ગીર એ એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. સિંહ સંરક્ષણ, પર્યાવરણ અને ગીરની જૈવવિવિધતા વિશે વાંચો. વિશ્વ સિંહ દિવસ 2026: ગુજરાત અને ગીર માટે ગૌરવનો દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ World Lion Day એટલે કે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણના રક્ષણ અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. વિશ્વ સિંહ દિવસના અવસરે ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું ગીર ક્ષેત્ર એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગીરનું નામ માત્ર ગુજરાતની ઓળખ સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વન્યજીવન સંરક્ષણના નકશા પર વિશેષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *