સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા

B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી ત્રણ વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ રુપિયાની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો હતા. લાંબા સમય સુધી કોઈ સમાચાર ના મળતાં લેણદાર ત્રણ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

હીરા બજારમાં ઉઠમણાંનો દોર યથાવત છે. મહીધરપુરાના હીરાના વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. વેપારીએ હીરાના કારોબારને લઈને વરાછાના ત્રણ વેપારી પાસેથી હીરા લીધા હતા. જેના બાદ વરાછાના વેપારીઓ પાસેથી લીધેલ હીરાની કિમંતની ચૂકવણી કરવામાં પાછીપાની કરી હતી. વિશ્વાસે ચાલતા આ ઉદ્યોગમાં વેપારીએ વેપારી સાથે જ છેતરપિંડી કરી અને રૂપિયાની ચૂકવણી કર્યા વગર મહીધરપુરાનો વેપારી ગાયબ થઈ ગયો હતો.

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા ઉદ્યોગ કેન્દ્ર છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવવા છતાં પણ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવ્યો નથી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ ઉત્તર ગુજરાતના વેપારીએ 50 કરોડમાં ઉઠમણું કર્યું હતું.હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા મોટા વેપારીએ કરોડમાં ઉઠમણું કરતાં નાના વેપારીઓ પણ ફસાયા હતા.હીરા ઉદ્યોગના વેપારીઓ દ્વારા ઉઠમણાં કરાયાના વધતી ઘટનાને લઈને આ મામલે સરકારે કડક વલણ અપનાવવા તેમજ કાયદો લાવવાની જરૂર છે. તેમ અન્ય વેપારીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *