રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટરો નહીં રમી શકે IPL ?, BCCIના નિયમે વધાર્યું ટેન્શન

ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI ખૂબ જ સક્રિય થઈ ગયું છે. એક નવી ‘૧૦-પોઇન્ટ પોલિસી’ લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૦ નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે ખેલાડીઓએ હવેથી અનુસરવા પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીમમાં શિસ્ત, એકતા અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. પરંતુ એક એવો નિયમ છે, જેના કારણે ખેલાડીને પગાર કાપ અને IPLમાંથી પ્રતિબંધ જેવી સજાનો સામનો કરવો પડી શકે છે.

-> BCCI દ્વારા આ સ્પષ્ટ કહેવાયું :- હવે બધા ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ઘણા કડક નિયમો પણ જારી કરવામાં આવ્યા છે. બોર્ડે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સજા ભોગવવી પડશે. એક નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, “જો કોઈ ગંભીર પરિસ્થિતિ કે સમસ્યા ઊભી થાય, તો કોઈ ચોક્કસ ખેલાડી મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકારની મંજૂરી મેળવ્યા પછી જ આ નિયમોની બહાર કાર્ય કરી શકે છે. જો આમ ન કરવામાં આવે તો શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.”BCCI નું કહેવું છે કે બોર્ડ દ્વારા આયોજિત કોઈપણ ટુર્નામેન્ટમાં બધા ખેલાડીઓ માટે રમવું ફરજિયાત રહેશે, જેમાં આઈપીએલ પણ શામેલ છે. જો કોઈ ખેલાડી આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે, તો તેને બોર્ડ તરફથી તેના પગારમાં કાપ, તેની મેચ ફીમાં કાપ અથવા IPL પર પ્રતિબંધ પણ લાગી શકે છે. આ નિયમો એવા સમયે અમલમાં આવ્યા છે જ્યારે રણજી ટ્રોફી મેચોનો આગામી રાઉન્ડ 23 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓ પોતપોતાની સ્થાનિક ટીમો માટે રમશે તે લગભગ નિશ્ચિત લાગે છે, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.

-> BCCI દ્વારા 10 મુખ્ય નિયમો જાહેર :

1. ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન: ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ માટે તૈયાર રહેવું પડશે અને ડોમેસ્ટિક ક્રિકેટના ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા રહેવું પડશે. ફિટનેસ અને મજબૂતી પર ખાસ ધ્યાન આપવું પડશે.

2.પ્રેક્ટિસમાં હાજરી: ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશન અને મેચોમાં ટીમ સાથે રહેવું પડશે. મુખ્ય કોચ અને પસંદગી સમિતિની પૂર્વ મંજૂરી લીધા વગર ક્યાંય જઈ શકાશે નહીં.

3.સામાનનું વજન: ખેલાડીઓએ નિયત કરેલી મર્યાદામાં જ સામાન લઈ જવાનો રહેશે. વધારે વજનના કિસ્સામાં ખર્ચ ખેલાડીએ પોતે ઉઠાવવો પડશે.

4.વિદેશ પ્રવાસ (30 દિવસથી વધુ): ખેલાડીઓને 3 સૂટકેસ અને 2 કીટ બેગની મંજૂરી આપવામાં આવશે, જેનું કુલ વજન 150 કિલો સુધી હોઈ શકે છે. સપોર્ટ સ્ટાફ માટે 2 સૂટકેસ અને એક નાની બેગની મંજૂરી છે, જેનું વજન 80 કિલો સુધી હોઈ શકે છે.

5.વિદેશ પ્રવાસ (30 દિવસથી ઓછો): ખેલાડીઓને 4 બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે અને વજન 120 કિલોથી વધુ ન હોઈ શકે. સપોર્ટ સ્ટાફ માટે 2 બેગ હશે, જેનું વજન 60 કિલો છે.

6.હોમ સિરીઝ: ખેલાડીઓને કિટ બેગ સહિત 4 બેગની મંજૂરી આપવામાં આવશે, વજન 120 કિલો હોઈ શકે છે. સપોર્ટ સ્ટાફ માટે પણ 60 કિલોનો આ જ નિયમ હશે.

7.પરિવાર સાથે પ્રવાસ (45 દિવસથી વધુ): જો વિદેશ પ્રવાસ 45 દિવસથી વધુનો હશે, તો ખેલાડીઓ તેમના પરિવારને વધુમાં વધુ 14 દિવસ માટે સાથે રાખી શકશે.

8. પરિવાર સાથે પ્રવાસ (45 દિવસથી ઓછો): જો પ્રવાસ 45 દિવસથી ઓછો હશે તો પરિવાર 7 દિવસથી વધુ સમય માટે સાથે રહી શકશે નહીં.

9.વ્યક્તિગત સ્ટાફ પર પ્રતિબંધ: ખેલાડીઓ તેમના વ્યક્તિગત રસોઈયા, હેર સ્ટાઈલિસ્ટ અને સુરક્ષા ગાર્ડને સાથે લઈ જઈ શકશે નહીં.

10.ટીમ બસમાં જ મુસાફરી: ખેલાડીઓએ માત્ર ટીમની બસમાં જ મુસાફરી કરવી પડશે.

 

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *