ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન

સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે ભાથીજી મહારાજના આખ્યાનનો પ્રોગ્રામ રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌપ્રથમ ગણપતિની સ્તુતિ કરીને શરૂઆત કરવામાં આવી હતી.

 

 

આ આખ્યાનમાં આજુબાજુનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભાથીજી મહારાજે કરેલા જીવનના કાર્યો અને અનેક પાત્રો ભજવીને અંચબિત માહિતી આપવામાં આવી હતી. જેમાં નાના- નાના બાળકોને ખુબ આનંદ થયો હતો. ત્યારે લોકોએ રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં ભાથીજી મહારાજ આખ્યાનનો લહાવો લીધો હતો.

 

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *