અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિક બેભાન, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યૂ

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ડ્રેનેજ ચેમ્બર)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેય શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયો હતો અને ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે અન્ય બે શ્રમિકો નીચે ઉતર્યા હતા, પરંતુ ટેન્કમાં ભરાયેલા ઝેરી ગેસની અસરથી તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને અંદર જ ફસાઈ ગયા હતા.

સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક શ્રમિકને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે વિશેષ સાધનોની મદદથી બાકીના બે શ્રમિકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.

અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ પ્રવીણ વાઘેલા, સાહિલ નાડિયા અને રોકી મેકવાન તરીકે થઈ છે. હાલ તેમની તબિયત અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના હોસ્પિટલના મેન્ટેનન્સ કાર્ય દરમિયાન બની હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ બેદરકારી સામે આવી નથી. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો અને સલામતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર ગટર અને સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી સલામતી સાધનો અને નિયમોના કડક અમલની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે.

 

 

 

 

  • Related Posts

    રામ મંદિર ટ્રસ્ટમાં મોટો નિર્ણય: ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા, કૃષ્ણ મોહન નવા મહાસચિવ બન્યા

    અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં દાનચોરીના મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ સાથે જ…

    રામ મંદિરમાં કેટલું આવ્યું દાન અને કેટલો થયો ખર્ચ? શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે જાહેર કર્યો સંપૂર્ણ હિસાબ

    અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તાજેતરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના દાન અને ખર્ચનો વિગતવાર હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે મળેલા દાનનો મોટો હિસ્સો નિર્માણ…