ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, વૈશ્વિક બજારોમાં ચિંતા

મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે Iranએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત કરતાં વિશ્વભરમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઈરાનની સૈન્ય સંસ્થા Islamic Revolutionary Guard Corps (IRGC) દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે આ જળમાર્ગમાંથી પસાર થનારા કોઈપણ જહાજને નિશાન બનાવવામાં આવી શકે છે.

કડક ચેતવણી બાદ તણાવમાં વધારો
ઈરાનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ જહાજ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ ઉભો થયો છે, કારણ કે આ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે જીવનરેખા સમાન છે.

વિશ્વની ઊર્જા જીવનરેખા
Strait of Hormuz પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. વિશ્વના કુલ તેલ વપરાશનો અંદાજે 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત માંથી નિકળતું તેલ અને ગેસ આ જ માર્ગ મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. ખાસ કરીને China સહિતના એશિયન દેશો આ સપ્લાય પર ભારે નિર્ભર છે.

તેલના ભાવમાં તેજી શક્ય
વિશ્લેષકોના મતે જો આ જળમાર્ગમાં અવરોધ ઊભો થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તાત્કાલિક ઉછાળો આવી શકે છે. અગાઉ પણ ઈરાન દ્વારા હોર્મુઝ અંગે ધમકી આપવામાં આવતા બજારોમાં અસ્થિરતા જોવા મળી હતી. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વિશ્વભરમાં ઇંધણની અછત, પરિવહન ખર્ચમાં વધારો અને મોંઘવારી વધવાની શક્યતા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર
હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વેપારી જહાજોને પસાર થવાનો અધિકાર છે. છતાં હાલના ભૂરાજકીય તણાવને કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સંકટ વધુ ગાઢ બનશે તો તેનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક શેરબજાર અને અર્થતંત્ર પર પણ સીધી અસર પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

2027ની ચૂંટણી પહેલા BJP પંજાબમાં 13 દિવસના ડ્રગ વિરોધી અભિયાનની યોજના બનાવી રહ્યું….

-> ચૂંટણી પહેલા નશાનો મુદ્દો કેન્દ્રમાં લાવવાની તૈયારી, 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ; AAP સરકારને ઘેરવાની તૈયારી : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યમાં નશાની સમસ્યાને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJP પંજાબમાં નશા વિરોધી અભિયાનને વધુ મોટા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને લગભગ 13 દિવસ સુધી ચાલનારી વિશેષ રાજકીય-જનજાગૃતિ ઝુંબેશની યોજના પર કામ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભાજપે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી નશા વિરોધી યાત્રા અને કાર્યક્રમો પહોંચાડવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે Punjabના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકોમાં નશા વિરોધી…

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Life-Saving Triumph

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Ahmedabad: Ahmedabadની રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમે ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારીથી પીડાતા 22 વર્ષીય યુવાનને 72 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના રાજસમંદના રહેવાસી વિનોદ સોહનલાલ રેગરને અત્યંત નાજુક સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ટિટેનસની ગંભીર અસરને કારણે દર્દીને મોં ખોલવામાં મુશ્કેલી, શરીરમાં તીવ્ર અકડાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક જટિલતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબો,…