ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, વૈશ્વિક બજારોમાં ચિંતા

મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે Iranએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત કરતાં વિશ્વભરમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઈરાનની સૈન્ય સંસ્થા Islamic Revolutionary Guard Corps (IRGC) દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે આ જળમાર્ગમાંથી પસાર થનારા કોઈપણ જહાજને નિશાન બનાવવામાં આવી શકે છે.

કડક ચેતવણી બાદ તણાવમાં વધારો
ઈરાનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ જહાજ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ ઉભો થયો છે, કારણ કે આ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે જીવનરેખા સમાન છે.

વિશ્વની ઊર્જા જીવનરેખા
Strait of Hormuz પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. વિશ્વના કુલ તેલ વપરાશનો અંદાજે 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત માંથી નિકળતું તેલ અને ગેસ આ જ માર્ગ મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. ખાસ કરીને China સહિતના એશિયન દેશો આ સપ્લાય પર ભારે નિર્ભર છે.

તેલના ભાવમાં તેજી શક્ય
વિશ્લેષકોના મતે જો આ જળમાર્ગમાં અવરોધ ઊભો થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તાત્કાલિક ઉછાળો આવી શકે છે. અગાઉ પણ ઈરાન દ્વારા હોર્મુઝ અંગે ધમકી આપવામાં આવતા બજારોમાં અસ્થિરતા જોવા મળી હતી. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વિશ્વભરમાં ઇંધણની અછત, પરિવહન ખર્ચમાં વધારો અને મોંઘવારી વધવાની શક્યતા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર
હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વેપારી જહાજોને પસાર થવાનો અધિકાર છે. છતાં હાલના ભૂરાજકીય તણાવને કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સંકટ વધુ ગાઢ બનશે તો તેનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક શેરબજાર અને અર્થતંત્ર પર પણ સીધી અસર પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર

Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF…

ગુજરાતમાં ઉનાળે વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી: તાપમાન 3-5 ડિગ્રી વધે તેવો સંકેત

માર્ચ મહીનાની શરૂઆત સાથે ગુજરાતમાં ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને ગરમ રહી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું…