પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર

પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે.

પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા તથા સરકારની મફત સારવાર અને પોષણ કીટનો લાભ લેવા અપીલ કરવામાં આવી.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, UGVCLના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…