આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.

શું હતો મામલો?
કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ સુરક્ષા આપવામાં આવે.

“અમે તેમને માત્ર બે પુખ્ત વ્યક્તિ તરીકે જુએ છીએ”
જસ્ટિસ વિવેક કુમાર સિંહની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, કોર્ટ યુગલોને ‘હિન્દુ’ કે ‘મુસ્લિમ’ તરીકે નહીં પરંતુ બે પુખ્ત નાગરિક તરીકે જુએ છે. ભારતના બંધારણની કલમ 21 મુજબ દરેક નાગરિકને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર છે. ધર્મના આધારે આ અધિકાર છીનવી શકાય નહીં.

સરકારની દલીલ ફગાવાઈ
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે યુગલોએ ધર્માંતરણ માટે કલેક્ટર પાસે અરજી કરી નથી, તેથી સંબંધ ગેરકાયદે ગણાય. પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જ્યારે યુગલોએ પોતાનો ધર્મ બદલ્યો જ નથી અને તેઓ પોતપોતાના ધર્મનું પાલન કરીને સાથે રહે છે, ત્યારે ધર્માંતરણની મંજૂરી લેવાની જરૂર નથી.

12 યુગલોને સુરક્ષા આપવા નિર્દેશ
હાઇકોર્ટે સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે, જો યુગલો સુરક્ષા માગે તો તેમને તાત્કાલિક રક્ષણ આપવામાં આવે. સાથે જ કોર્ટે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે, તો યુગલો તેની વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી શકે છે.

વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમિકતા
આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ધર્માંતરણ વિરોધી કાયદાના દુરુપયોગ અંગે ચર્ચા ચાલી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીનો અધિકાર સર્વોપરી છે. જો બે પુખ્ત વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય, તો કુટુંબ, સમાજ કે રાજ્ય તેમાં અનાવશ્યક દખલગીરી કરી શકતું નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…