શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

તબિયત સુધારા પર
પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની સર્જરી બાદ તબિયત સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. તબિયત હાલ સુધારા પર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ…