શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

તબિયત સુધારા પર
પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની સર્જરી બાદ તબિયત સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. તબિયત હાલ સુધારા પર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…