CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.

સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને અગ્રતા આપવાના વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશો અનુસાર અત્યારસુધીમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઈ ગયું છે અને માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઈ રહી છે તેમ પણ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

શ્રમદાનના પૂજ્ય બાપુના વિચારને આશ્રમની પ્રવૃતિઓ સાથે જોડીને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કઈ રીતે સહભાગી થઈ શકે તે દિશામાં પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા –પરામર્શ થયા હતા. એટલું જ નહીં, ગવર્નિગ કાઉન્સિલની અગાઉની બેઠકના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી.

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાંસદ નરહરીભાઈ અમીન, કાર્તિકેય સારાભાઈ, જયેશભાઇ પટેલ તેમજ મુખ્ય સચિવ એમ. કે. દાસ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટના ઓ.એસ.ડી. આઈ. કે. પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને હવે વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા ઉપરાંત આ સમયગાળા દરમિયાન શાળામાં તેમની હાજરી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 46.68 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. દર મહિને 30 સેનેટરી નેપકીન મળશે યોજનાના અમલ હેઠળ સરકારી શાળામાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી દરેક પાત્ર વિદ્યાર્થીનીને દર મહિને…

ઈરાનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, પરમાણુ હથિયાર મુદ્દે કડક ચેતવણી; ઓમાનને પણ આપી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવું તેમની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. સાથે જ તેમણે ઈરાન સાથે કોઈપણ સમજૂતી માટે ઉતાવળ ન હોવાનો સંકેત આપ્યો છે. 17 ઓગસ્ટે ટ્રમ્પે ઈરાનને શરણાગતિ સ્વીકારવાની અપીલ પણ કરી હતી અને અમેરિકા-ઈરાન વાટાઘાટો અંગે કડક વલણ વ્યક્ત કર્યું હતું. ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી ઉકેલની શક્યતાઓ હોવા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુનીને લઈને પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઈરાનને પરમાણુ હથિયારથી રોકવાનો દાવો ટ્રમ્પે સતત એ…