ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક બાળકનું દુઃખદ અવસાન થયું હતું. તે સમયે સ્થાનિકોએ મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા.

બગીચામાં ખોદકામ ચાલુ હોવા છતાં ત્યાં કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટના બની હતી. આવી ઘટનાઓ બાદ ખોદકામના સ્થળોએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખવાની માંગ ફરી એકવાર ઉઠી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

લખનઉ અગ્નિકાંડ: SIT તપાસ શરૂ, 7 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ

લખનઉમાં તાજેતરમાં બનેલી ભીષણ અગ્નિકાંડની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. SIT…

લખનઉમાં કોચિંગ સેન્ટર-ગેમિંગ ઝોનમાં આગ લાગતાં 15 યુવાનોના મોત, દેશમાં શોક

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઈમારતમાં સોમવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં…