ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે.
ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં:
શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે.
મુખ્યમંત્રીની સમીક્ષા:
પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું.
લોકોને માર્ગદર્શન:
આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે ઉકાળેલું પાણી પીવું અને બહારનો ખુલ્લો ખોરાક ટાળવો. તાવ, માથાનો કે પેટનો દુઃખાવો જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






