દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”

દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. “જમ્મૂ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે,” એમ માંડવિયાએ સ્પષ્ટ કર્યું.

તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિની ભાવનાને કમજોર કરી રહ્યું છે અને વારંવાર સંધિનો દુરૂપયોગ કરીને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે તે આત્મચિંતન કરે અને આતંકવાદ તથા વિકાસ સંબંધિત ગંભીર પડકારોનું સમાધાન કરે. “પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયની સહાય પર નિર્ભર રહેવાને બદલે પોતાના લોકોના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ,” એમ તેમણે ઉમેર્યું.

આ ઘટનાએ ફરી એકવાર ભારતના પાકિસ્તાન પ્રત્યેના દૃઢ વલણને ઉજાગર કર્યું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની રાજદ્વારી સ્પષ્ટતા દર્શાવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…