“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.

ફરિયાદનો મુદ્દો
ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે કંપની અને બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન બંને લોકપ્રિયતા અને નફા માટે લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે.

સ્વાસ્થ્ય પર જોખમનો મુદ્દો
વકીલ રિપુદમન સિંહે દલીલ કરી હતી કે આવી જાહેરાતો યુવાનોને પાન મસાલા અને તમાકુ ઉત્પાદનો તરફ આકર્ષિત કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના પ્રમોશનથી કેન્સર અને અન્ય ગંભીર રોગોનું જોખમ વધે છે.

ફરિયાદીએ માગણી કરી છે કે:
– આવા ઉત્પાદનોની જાહેરાતો પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ.
– સલમાન ખાનના રાષ્ટ્રીય પુરસ્કાર પાછા ખેંચવા જોઈએ.
– ગ્રાહકોને ભ્રમિત કરનાર જાહેરાતો સામે કડક પગલાં લેવાં જોઈએ.

અદાલતનો પગલાં
કોટા ગ્રાહક અદાલતે આ કેસની નોંધ લીધી છે અને સલમાન ખાન તેમજ રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ પાઠવી છે. બંને પક્ષોને 27 નવેમ્બર સુધીમાં પોતાના પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ કેસ હવે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ, ખોટી જાહેરાતો અને ગ્રાહક અધિકાર અંગે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની રહ્યો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દેશવ્યાપી કાર્યવાહી: ડિજિટલ અરેસ્ટ સ્કેમ મામલે CBI ની કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ.

ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ: CBI ના મેગા ઓપરેશનમાં સ્કેમર્સનું સામ્રાજ્ય ધરાશાયી, ગુજરાત સહિત દેશભરમાં દરોડા ગાંધીનગર/નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં એક નવો અને અત્યંત ખતરનાક સાયબર ગુનો ‘ડિજિટલ અરેસ્ટ’…

ઐતિહાસિક ચુકાદો: ગુજરાત હાઈકોર્ટે અકસ્માતમાં મૃતક વ્યક્તિના ભાઈઓને પણ વળતર મેળવવાનો આપ્યો અધિકાર!

ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ: અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈઓ પણ હવે મેળવી શકશે વળતર! અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો અને માનવીય…