ચાંદીના ભાવમાં અચાનક 8,000 રૂપિયાનો મોટો ઘટાડો, સોનામાં તેજી યથાવત

તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો, પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. IBJA વેબસાઈટ મુજબ, 16 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે ચાંદીનો ભાવ ₹1,68,083 પ્રતિ કિલોગ્રામ નોંધાયો, જે સવારે ₹1,70,850 હતો. 15 ઓક્ટોબર ના દિવસે ચાંદીનો ભાવ ₹1,76,467 હતો.

આનો અર્થ એ થયો કે, આજના દિવસે સવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં આશરે ₹2,800 પ્રતિ કિલો અને ગયા દિવસની સરખામણીમાં ₹8,400નો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીની હાલત:

સોનાના ભાવ:
24 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,27,471 પર ટ્રેડ થઇ રહ્યું છે.
22 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,26,961 પર ટ્રેડ થઇ રહ્યું છે.
18 કેરેટ સોનું 10 ગ્રામ ₹95,603 પર ટ્રેડ થઇ રહ્યું છે.

ચાંદીના ભાવ (MCX પર):
સાંજે 6 વાગ્યે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને ₹1,700 વધીને ₹1,63,900 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે.
5 ડિસેમ્બર ના વાયદા માટે સોનાનું 10 ગ્રામનું ભાવ ₹1,28,184 છે.

શેરબજારમાં ચાંદીના ETF માં ઘટાડો:
– ચાંદીના ETF માં 6 થી 10 ટકા સુધીની ઘટાડાની પ્રવૃતિ નોંધાઈ છે.
– સિલ્વરબીઝ ETF: 6.73% ની ઘટા.
– HDFC સિલ્વર ETF: 7% થી વધુ ઘટાડો.
-ગ્રોવ સિલ્વર ETF: લગભગ 10% નો ઘટાડો.

ચાંદીના ભાવમાં અચાનક આવતો આ ઘટાડો બજાર માટે એક મોટું સિગ્નલ માનવામાં આવે છે. જ્યારે સોના માટે માંગ યથાવત રહેતી જોવા મળે છે, ત્યારે ચાંદીના ભાવમાં આવતો આ ગાબડું રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં આ બુલિયન બજારમાં કેવી સ્થિતિ થાય તે બજાર નજર રાખવાની રહેશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…