મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે.

વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે ક્યાસ કાઢવા મુશ્કેલ બન્યા છે, કારણ કે આ બેઠક બાદ ન ધારેલા પરિવર્તનની સંભાવનાઓ પણ દેખાઇ રહી છે.દિલ્હીમાં યોજાયેલી બેઠક ઔપચારિક ન હતી તે બાબતનો અંદાજ તેનાથી લાગે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠકને લઇને કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર મૂકી ન હતી. આ ઉપરાંત આ બેઠકમાં સી. આર. પાટીલને ખાસ હાજર રખાયા હોવાથી આ બેઠકમાં થયેલી ચર્ચા ગંભીર પ્રકારની હોવાનું પણ સ્ષષ્ટ રીતે જણાઇ આવે છે. અલબત્ત ગુજરાતમાં ભાજપના કોઇપણ નેતાને આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોઇ માહિતી ન હોવાથી તેઓ પણ આપસમાં મોડી રાત સુધી દિલ્હીથી કોઇ સમાચાર આવ્યા કે કેમ તેને લઇને આપસમાં ચર્ચા કરતા રહ્યા.

સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયથી માંડીને અન્ય વિભાગોમાં પણ ચહલપહલ અસામાન્ય પ્રકારની હતી. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ દિવસભર બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાછલાં ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથેની આ ત્રીજી મુલાકાત છે, દર મુલાકાત બાદ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ થાય છે, પરંતુ તે પછી કોઇ ઘટનાક્રમ સામે આવ્યો નથી

રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે

Related Posts

ગુજરાતમાં ચૂંટણીનો ગણગણાટ! પક્ષોની રણનીતિ તેજ, કોણ મારશે બાજી?

ગુજરાતનું રાજકીય રણમેદાન ગરમાયું: આગામી ચૂંટણી માટે પક્ષોની કવાયત તેજ, રણનીતિ અને નવા સમીકરણો પર નજર! ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજુ દૂર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ કમર કસી લીધી છે. તમામ નાના-મોટા પક્ષો સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે એક તરફ જૂની પેઢીનો અનુભવ તો બીજી તરફ નવા ચહેરાઓના ઉત્સાહનો સંગમ જોવા મળી રહ્યો છે. પક્ષોની બદલાતી રણનીતિ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષોએ પોતાની કાર્યશૈલીમાં મોટો બદલાવ કર્યો છે: માઈક્રો-મેનેજમેન્ટ: દરેક બેઠક દીઠ અલગ રણનીતિ બનાવવા માટે ‘વોર રૂમ’ સક્રિય કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકસંપર્ક અભિયાન: નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસભા, સંવાદ અને પદયાત્રાઓનું…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે માત્ર વાતાવરણમાં જ ઠંડક નથી પ્રસરાવી, પરંતુ ખેડૂતોની વર્ષભરની આશાને પણ જીવંત કરી દીધી છે. વરસાદનું આગમન અને ખેડૂતોની આશા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલો આ વરસાદ ખેતીના વિવિધ પાકો માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. ખાસ કરીને ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ ‘સોના જેવો વરસાદ’ છે. પાકને જીવનદાન: જે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી, તેમના માટે આ વરસાદ પાકને નવું જીવન આપનારો સાબિત થયો છે. હવે પાકના ઝડપી વિકાસ…