મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમા ભય અને અશાંતિનો માહોલ ફેલાઈ ગયો છે.

થડિંગ્યુટ ઉત્સવ દરમિયાન હુમલો
આ હુમલો ચાઉંગ ઓ શહેરમાં થયો હતો, જ્યાં લગભગ 100થી વધુ શ્રદ્ધાળુઓ બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા થડિંગ્યુટ ઉત્સવ માટે ભેગા થયા હતા. ઉત્સવ દરમિયાન કેટલાક લોકો સરકારી નીતિઓના વિરોધમાં મીણબત્તી પ્રગટાવીને શાંતિપૂર્ણ જાગરણ પણ કરી રહ્યા હતા. એ દરમિયાન, મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડરમાંથી બે બોમ્બ ફેંકવામાં આવ્યા, જેના પરિણામે ઘણાં લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા.

પીપલ્સ ડિફેન્સ ફોર્સનો દાવો અને સાત મિનિટનો ત્રાસ
પીડીએફ (PDF – People’s Defence Force)ના એક પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને હુમલાની પૂર્વ ચેતવણી મળી હતી, છતાં હમલાવરો માત્ર સાત મિનિટમાં હુમલો કરી નાસી છૂટ્યા. હુમલાની ઝડપ અને ગતિવિધી હમાસના હુમલાની યાદ અપાવે છે.

સ્થાનિકોની કલ્પનાતીત ભયાનકતા
ઘટનાના એક દ્રષ્ટાએ કહ્યું, “પહેલો બોમ્બ મારા ઘૂંટણમાં લાગ્યો, પણ હું મારી આસપાસના લોકોના કરુણ ચીસો સાંભળી શકતો હતો.”
એક મહિલાએ જણાવ્યું કે, “બાળકો પણ ઘાયલ થયા છે. મૃતદેહોને ઓળખવા મુશ્કેલી પડી રહી છે.”

સેના તરફથી પેરાગ્લાઇડર હુમલાઓમાં વધારો
2021ની સૈન્ય કબજિયાત પછીથી મ્યાનમાર સતત ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. યુએનના અંદાજ મુજબ અત્યાર સુધીમાં 5,000 થી વધુ નાગરિકો હિંસાનો ભોગ બની ચૂક્યા છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની અછતના કારણે, મ્યાનમારની સેના હવે પેરાગ્લાઇડર જેવા અલ્પવિસ્તારના એર ટૂલ્સનો વધતો ઉપયોગ કરી રહી છે, ખાસ કરીને વિરોધ પ્રદર્શનો દબાવવા માટે.

લોકો ચુંટણી પ્રણાલી સામે વિરોધ કરે છે
આ હુમલો તે સમયે થયો છે જ્યારે દેશ ડિસેમ્બર 2025માં યોજાનારી સામાન્ય ચુંટણીઓની તૈયારી કરી રહ્યો છે. લોકો સૈન્યની બળજબરીથી ભરતી નીતિઓ, આંગ સાન સુ કી સહિતના નેતાઓની ધરપકડ અને ચુંટણીઓની ન્યાયિકતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.

Related Posts

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

‘લોકતંત્રની તાકાતે ચા વાળાને વડાપ્રધાન બનાવ્યો’: પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં ભારતના લોકતંત્રની શક્તિ, વિકાસયાત્રા અને વૈશ્વિક સ્તરે દેશની વધતી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના લોકતંત્રની સૌથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *