અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે.

કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ કહી શકશે તેવું વિગતે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું ને સાથે સાથે ખેડૂતોના મુદે, ખનીજચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોય શકે તેવી શંકાઓ છે પ્રતાપ દુધાતે વ્યક્ત કરી હતી

પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે અંદાજે 15 થી 20 વ્યક્તિઓ હતાને ગાડીને સામાન્ય નુકશાન થયું છે અત્યારે આ અસમાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે ને ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે અને આમેય અમરેલી જિલ્લો બદનામ છે કાયદો અને વ્યવસ્થાઓ ખુબજ કથળી ગઈ હોવાનો ટોણો પ્રતાપ દુધાતે માર્યો હતો ને આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે મોદીજી નું સ્વપ્ન છે ને આ સરકાર જ સાકાર થવા નથી દેતી અને અસામાજિક તત્વોની કારના વિડીયો પણ છે ને એમની ભાષાઓ પણ છે તે એસ.પી. ને બતાવતું છે હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે.

ઘટનાને લઇ જાણો શું કહ્યું અમરેલીના SPએ
કોંગી નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસ.પી.સંજય ખરાતે આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાતે 12 વાગે પ્રતાપભાઇ દુધાતનો ફોન આવેલ હતો અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કર્યા હતા અને ગાડી પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પુરતી તપાસ હાથ ધરવામાં આવી હતી. સંજય ખરાત ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે પ્રતાપભાઇએ આક્ષેપ કર્યા છે તે બાબતે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે જ્યારે તુલશીશ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાતે દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે ટુરિસ્ટરને લઈ સિનિયર અધિકારીનું પણ પેટ્રોલિંગ રહેશે પ્રાથમિક ધોરણે જીલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું તેવું અમરેલી એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું ત્યારે આ અસમાજિક તત્વો કોણ વિગેરે બાબતો પરથી પોલીસ ફરિયાદ બાદ પરદો ઊંચકાશે અને પોલીસ એ દિશામાં જરૂરી કાર્યવાહી કરશે તેની પર સૌની મીટ મંડાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *