રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામનું પણ સ્ટેન્ડ બનાવો….. નયનાબા જાડેજાએ કરી માંગ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ‘જડડુ’ તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજાએ માંગ કરી છે.

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા રવીન્દ્ર જાડેજાના બહેન મેદાને આવ્યા છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે. તો પછી તેમના નામે સ્ટેન્ડ ન બને એ યોગ્ય ન કહેવાય.

સોશિયલ મીડિયા પર નયનાબાએ કરી પોસ્ટ
તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ જડકાયું છે એવા “test all rounder” રવિન્દ્ર જાડેજા ના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં રાજકોટના નિરંજનશા સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે એમને સ્થાન આપવું જોઈએ.

રોહિત શર્માના નામનું વનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ
રોહિત શર્માની નિવૃતિ બાદ મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિત શર્માનું નામ અપાયું છે. શુક્રવારે રોહિત શર્મા અને તેનાં પરિવારજનોની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના હસ્તે આ સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *