“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં રાખે. આ બાબત દરેક ભારતીયને સંર્પુણ વિશ્વાસ છે.

મુખ્ય મુદ્દાઓ:

CM ભૂપેન્દ્ર પટેલે UPSC પાસ કરનાર ઉમેદવારોનું કર્યું સન્માન
“મોદી રાષ્ટ્ર માટે કંઈ બાકી નહીં રાખે, દેશવાસીઓએ તેને સંપૂર્ણ ભરોસો આપ્યો છે”
સરદાર પટેલે બંધાયેલું એક ભારત, મોદી બનાવી રહ્યા છે શ્રેષ્ઠ ભારત
સેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજીક્ષેત્રે ભારત આજે સિદ્ધિઓ હાંસલે છે
“યુવાનો વિકાસ માટે મોટું યોગદાન આપી શકે” – CM

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશ આજે નવી ટેકનોલોજી અને વૈશ્વિક વિકાસના માર્ગે છે. વર્ષો પહેલાં જે કંઈ શક્ય લાગતું નહોતું, આજે તે ભારત હકીકતમાં શક્ય બનાવી રહ્યું છે. અને તેની પાછળ વડાપ્રધાન મોદીની દૃઢ ઇચ્છાશક્તિ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત દેશ લેટેસ્ટ ટેકનોલોજીથી આગળ વધી રહ્યો છે. વિકસિત ભારત અને ગુજરાતમાં આ યુવાનો ખૂબ મોટુ યોગદાન આપી શકશે. સરકારની નવી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવી રીતે અમલી કરવામાં આવી છે. સરકાર દરેક સમાજ સાથે ઉભા રહીને કામ કરે છે. તેમણે ઉમેર્યું કે સરકારનો ઉદ્દેશ છે કે દેશના દરેક ભાગ સુધી વિકાસના લાભો પહોંચે. યુવાનો એ દેશના ઊજળા ભવિષ્યના પાયાઓ છે, અને તેઓનો વિકાસ દેશમાં સ્થાયી વિકાસ લાવશે.

વિવાદિત નિવેદન:
આ કાર્યક્રમ દરમિયાન સરદારધામના પ્રમુખનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું. તેમણે જણાવ્યું કે, “જ્યારે દીકરી ખરીદી કરવા નીકળે ત્યારે તેની કમર પર રિવોલ્વર લટકતી હોવી જોઈએ“. આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Posts

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *