એક નાણાકીય વર્ષમાં નોકરી બદલ્યા પછી ITR ફાઈલ કરતી વખતે ભૂલોથી બચો, નહીંતર આવી શકે છે નોટિસ

આજે, સમય સાથે નોકરી બદલવી ખૂબ સામાન્ય થઈ ગઈ છે. ઉંચા પગાર, વધુ સારી તકો અને વ્યાવસાયિક વૃદ્ધિના ઉદ્દેશથી ઘણા કર્મચારીઓ એક જ નાણાકીય વર્ષમાં નોકરી બદલે છે. જોકે, આ વ્યવહારિક નિર્ણય હોવા છતાં નોકરી બદલ્યા પછી ITR (આયકર રિટર્ન) ફાઈલ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર, ટેક્સ ફાઈલિંગમાં વિલંબ કે નોટિસ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

1. દરેક નોકરીમાંથી ફોર્મ 16 લેવો જરૂરી
જો તમે એક નાણાકીય વર્ષ દરમિયાન એકથી વધુ નોકરી કરી હોય, તો તમારે દરેક પૂર્વ નોકરીદાતાથી ફોર્મ 16 લેવું અનિવાર્ય છે. ફોર્મ 16માં તમારું પગાર વિભાજન અને TDS (Tax Deducted at Source) સંબંધિત વિગતો હોય છે, જે ITR ફાઈલ કરતી વખતે આવશ્યક બની જાય છે.

2. એક જ કપાતનો બે વાર દાવો કરવાથી બચો
EPF, PPF અથવા આરોગ્ય વિમામાં રોકાણ પર ટેક્સ બચાવ માટે દાવો કરી શકાય છે, પણ નોકરી બદલતી વખતે ઘણા લોકો ભૂલથી એક જ રોકાણ માટે જુદી-જુદી નોકરીઓમાં બે વાર દાવો કરે છે. આવી ભૂલથી ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને નોટિસ મોકલી શકે છે. તેથી, માત્ર સાચા અને એકવારના દાવા કરો.

3. ફોર્મ 26AS અને AIS નું મેલ ખાતરી કરો
ફોર્મ 26AS અને Annual Information Statement (AIS) ચેક કરવું એ જરૂરી છે. તેમાં તમારા તમામ TDS, ખર્ચ અને આવકની વિગતો હોય છે. તે તમારા ફાઈલ કરાતા રિટર્ન સાથે સુમેળમાં હોવી જોઈએ.

4. ટેક્સ ક્રેડિટ સાચી રીતે દાવો કરો
જો તમને નોકરી છોડતી વખતે ગ્રેચ્યુઇટી, લીવ એનકેશમેન્ટ કે અન્ય લાભ મળ્યા હોય, તો તેમના પર લાગુ કરનિય ટેક્સ નિયમોની સમજૂતી રાખો. ખાસ કરીને, જો ગ્રેચ્યુઇટી 20 લાખ સુધી છે અને તમે નિયમ મુજબ પાત્ર છો, તો તે ટેક્સ મુક્ત હોય છે. એ વિગતો યોગ્ય રીતે રિટર્નમાં સમાવિષ્ટ હોવી જોઈએ.

5. બંને નોકરીઓની આવકનો સંપૂર્ણ અહેવાલ આપો
ઘણા લોકો નવી નોકરીમાંથી મળેલી આવક તો દાખલ કરે છે, પણ જૂની નોકરીમાંથી મળેલો પગાર ભૂલી જાય છે. આવું કરવાથી તમારી કુલ આવકના અંદાજમાં તફાવત ઊભો થાય છે અને કરવિભાગ તમારી સામે નોટિસ મોકલી શકે છે. તેથી, જૂની અને નવી બંને નોકરીઓમાંથી મળેલી કુલ આવક રિટર્નમાં બતાવવી જરૂરી છે.

કારકિર્દીની દૃષ્ટિએ નોકરી બદલવી લાભદાયક હોઈ શકે છે, પણ તેના સાથે કરદાયિત્વ પણ આવે છે. ITR ફાઇલ કરતી વખતે પૂરા દસ્તાવેજો, યોગ્ય દાવા અને સંપૂર્ણ આવક દર્શાવીને તમે ટેક્સ સંબંધિત મુશ્કેલીઓથી બચી શકો છો. સમયસર અને યોગ્ય રીતે ફાઈલ કરેલી રિટર્ન તમને ભાવિ આર્થિક વ્યવહારોમાં સરળતા આપે છે.

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 569 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા, જેના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *