મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..

1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં વધારો થયો છે, ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું બન્યું છે અને રેલવેની ટિકિટિંગ વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. અહીં જાણો 1 મે, 2025થી લાગુ થયેલા 5 મોટા ફેરફારો વિશે વિગતે:

 

1. અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘું:-

દેશની જાણીતી ડેરી કંપની અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. નવા ભાવ આજે એટલે કે 1 મે 2025થી અમલમાં આવ્યા છે. અમૂલ ગોલ્ડ, તાઝા, બફેલો, સ્ટાન્ડર્ડ સહિતના તમામ વર્ઝનના ભાવ વધ્યા છે. મધર ડેરી અને વેર્કા પહેલાં જ ભાવ વધારી ચૂક્યા છે.

 

2. ATMથી રોકડ ઉપાડવાં વધુ ચાર્જ લાગશે:-

RBIના નવા નિયમ મુજબ હવે ફ્રી લિમિટ પછી દરેક ATM ટ્રાન્ઝેક્શન માટે ₹23 ચાર્જ થશે. અગાઉ આ ચાર્જ ₹21 હતો. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ રહેશે:

પોતાની બેંક: 5 ફ્રી ટ્રાન્ઝેક્શન દર મહિને

મેટ્રો શહેરમાં અન્ય બેંક: 3 ફ્રી

નોન-મેટ્રો શહેરમાં અન્ય બેંક: 5 ફ્રી

 

3. રેલવે: વેઇટિંગ ટિકિટ પર હવે કોચમાં મુસાફરી નહીં:- 

ભારતીય રેલવેના નવા નિયમ મુજબ હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો એસી કે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકશે નહીં. તેમણે ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરવાની રહેશે. નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે:

એસી કોચ માટે દંડ: ₹440

સ્લીપર કોચ માટે દંડ: ₹250

સાથે જ મુસાફર જ્યાંથી ટ્રેન પકડી છે ત્યાંથી ટ્રેનના આરંભના સ્થાન સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. આ સાથે IRCTC પર બુકિંગ કરતી વખતે હવે દરેક ટિકિટ માટે OTP આધારિત મોબાઇલ વેરિફિકેશન પણ ફરજિયાત બન્યું છે.

 

4. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું:- 

19 કિગ્રા વજનના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹17 ઘટી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિતના મેટ્રો શહેરોમાં નવું ભાવ લાગુ પડ્યું છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

 

5. 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ:- 

સરકારની ‘એક રાજ્ય, એક આરઆરબી’ નીતિ અંતર્ગત 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોને વિલીન કરીને હવે કુલ 28 આરઆરબી રહી જશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આ વિલીનીકરણ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 6 મેના રોજ યોજનાની સમીક્ષા કરશે.

 

અન્ય અપડેટ્સ:-

પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ છે.

IRCTC બુકિંગ માટે નવા સુરક્ષા નિયમો લાગુ થયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *