તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે

તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે. પોનમુડીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યપાલે તેમના રાજીનામાં સ્વીકારી લીધાં છે. અપેક્ષા છે કે નવા મંત્રીઓ કાલે શપથ ગ્રહણ કરશે.

વી. સેન્થિલ બાલાજી પર નોકરી કૌભાંડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપ છે. તેઓ પહેલા AIADMK સરકાર દરમિયાન 2011થી 2015 દરમિયાન પરિવહન મંત્રી હતા. ત્યારબાદ 2021માં ED દ્વારા તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 14 જૂન, 2023ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાલાજી વિરુદ્ધ કુલ ત્રણ FIR પણ નોંધાઈ હતી. ડૉ. કે. પોનમુડી તેમના વિવાદાસ્પદ ભાષણના કારણે વિવાદમાં આવ્યા હતા, જેના કારણે પાર્ટી પર દબાણ વધતું હતું. તેથી તેમને કેબિનેટમાંથી હટાવવાનું નક્કી થયું.

બીજી તરફ, માનો થંગરાજને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટીએ મંત્રાલયોમાં પણ ફેરફાર કર્યા છે. પરિવહન મંત્રી શિવશંકરને વીજળી વિભાગ સોંપવામાં આવ્યો છે. ગૃહમંત્રી મુથુસ્વામીને એક્સાઇઝ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, મંત્રી આર.એસ. રાજકનપ્પનને વન વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અરજદારે બાલાજી સામે આરોપો લગાવ્યા હતા

કેબિનેટમાં નવા ચહેરાની એન્ટ્રી અને હવાલાઓનું વિતરણ

મંત્રીઓના રાજીનામા બાદ મુખ્યમંત્રીએ નવા મંત્રીઓની નિમણૂક સાથે મંત્રાલયોમાં ફેરફાર પણ કર્યા છે:
માનો થંગરાજને કેબિનેટમાં સામેલ કરાયા.
એસ.એસ. શિવશંકર, પરિવહન મંત્રીને વીજળી વિભાગનો પણ હવાલો આપવામાં આવ્યો.
મુથુસ્વામી, ગૃહમંત્રીને હવે એક્સાઇઝ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
આર.એસ. રાજકનપ્પનને વન વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

Related Posts

ભારતનો મોટો નિર્ણય: હવે બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર લાગશે પ્રતિબંધ

ભારત સરકારે વિદેશ વ્યાપાર નીતિ (Foreign Trade Policy-FTP) 2023માં મહત્વપૂર્ણ સુધારો કરીને બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour)થી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ કરી છે. આ નિર્ણયને વૈશ્વિક માનવાધિકારના…

પુરી જગન્નાથ રથયાત્રામાં ભીડ વચ્ચે નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત

ઓડિશાના પુરીમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની વાર્ષિક રથયાત્રાનો ગુરુવારે ભક્તિભાવ સાથે પ્રારંભ થયો હતો. જોકે, યાત્રાના પ્રથમ દિવસે જ ભારે ભીડ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા એક શ્રદ્ધાળુનું મોત થયું હોવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *