‘મેં હિન્દુ હું.. માર દો ગોલી’:સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં ફરકાવ્યો તિરંગો, પહેર્યુ ખાસ ટીશર્ટ

દેશભરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારે રોષ ફાટી નીકળ્યો છે. એ વચ્ચે સુરતના ચાર યુવકો (27 એપ્રિલે) જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત લાલચોક ખાતે પહોંચ્યા અને ભારતનો તિરંગો લહેરાવ્યો. ખાસ વાત એ રહી કે યુવકોએ ‘મેં હિન્દુ હું…# માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યાં.

આતંકી ઘટનાક્રમ પછી દેશભરના ખાસ કરીને યુવાનોમાં ભારે ગુસ્સો છે. સુરતના યુવકો લાલચોક પહોંચી ઘમંડભેર તિરંગો લહેરાવ્યા અને ‘હમ હિન્દુ હૈ’ના જોરદાર સૂત્રોચાર કર્યા.

યુવકોનો જણાવો છે કે લાલચોક પહોંચ્યા પછી આર્મી તરફથી કોઈ અટકાવાયો નહીં હતો, પરંતુ સ્થાનિક પોલીસે ટી-શર્ટ વિષે વારંવાર ટકોર કરી હતી. જેના જવાબમાં યુવકોએ સ્પષ્ટ કહ્યું કે- આતંકવાદીઓ ક્યારેય કોઈનું ધર્મ જોઈને હુમલો કરતા નથી, તેથી અમે અહીં અમારું ધર્મ બતાવવા અને આતંક સામે અડીખમ હોવાનો સંદેશ આપવા આવ્યા છીએ. આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગે છે કે અમે ડરી ગયા નથી, તમે ગમે તેટલા પણ હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે ડરવાના નથી. લાલચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ અમે લાલચોકની વચ્ચોવચ ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા પણ લગાવ્યા છે.

સુરતના અજયસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડરવા આવ્યા નથી, અમારો ધર્મ બતાવવા આવ્યા છીએ. પાકિસ્તાનીઓ ગમે તેટલા પ્રયાસો કરે, તેમનાં ઈરાદા ક્યારેય સફળ થવા દઇશું નહીં. લાલચોકમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા અને લોકોનું મોરલ વધારવા અપીલ કરી છે કે ડર્યા વગર તમે પણ અહીં આવી શકો છો.”યુવકોએ લાલચોક બાદ પહેલગામના નરસંહાર સ્થળ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Patan Crime News 2026: ગેરકાયદેસર સારવાર આપતો લાખાભાઈ રબારી જેલભેગો..

Patan સાંતલપુરમાં બોગસ તબીબ ઝડપાયો, ડિગ્રી-લાયસન્સ વગર સારવાર કરતો હોવાનો પોલીસનો દાવો રિપોર્ટઃ અનિલ રામાનુજ, પાટણ Patan જિલ્લાના સાંતલપુર પંથકમાં બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ ચલાવાતી હોવાની માહિતીના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને વિવિધ તબીબી સાધનો સહિત કુલ રૂ.24,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલો શખ્સ કોઈ માન્ય તબીબી ડિગ્રી કે પ્રેક્ટિસ માટે જરૂરી લાયસન્સ ધરાવતો નહોતો અને તેમ છતાં દર્દીઓની સારવાર કરતો હતો. મળતી માહિતી પ્રમાણે, Patan SOGની ટીમ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં એક શખ્સ માન્ય તબીબી લાયકાત કે જરૂરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *