‘મેં હિન્દુ હું.. માર દો ગોલી’:સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં ફરકાવ્યો તિરંગો, પહેર્યુ ખાસ ટીશર્ટ

દેશભરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારે રોષ ફાટી નીકળ્યો છે. એ વચ્ચે સુરતના ચાર યુવકો (27 એપ્રિલે) જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત લાલચોક ખાતે પહોંચ્યા અને ભારતનો તિરંગો લહેરાવ્યો. ખાસ વાત એ રહી કે યુવકોએ ‘મેં હિન્દુ હું…# માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યાં.

આતંકી ઘટનાક્રમ પછી દેશભરના ખાસ કરીને યુવાનોમાં ભારે ગુસ્સો છે. સુરતના યુવકો લાલચોક પહોંચી ઘમંડભેર તિરંગો લહેરાવ્યા અને ‘હમ હિન્દુ હૈ’ના જોરદાર સૂત્રોચાર કર્યા.

યુવકોનો જણાવો છે કે લાલચોક પહોંચ્યા પછી આર્મી તરફથી કોઈ અટકાવાયો નહીં હતો, પરંતુ સ્થાનિક પોલીસે ટી-શર્ટ વિષે વારંવાર ટકોર કરી હતી. જેના જવાબમાં યુવકોએ સ્પષ્ટ કહ્યું કે- આતંકવાદીઓ ક્યારેય કોઈનું ધર્મ જોઈને હુમલો કરતા નથી, તેથી અમે અહીં અમારું ધર્મ બતાવવા અને આતંક સામે અડીખમ હોવાનો સંદેશ આપવા આવ્યા છીએ. આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગે છે કે અમે ડરી ગયા નથી, તમે ગમે તેટલા પણ હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે ડરવાના નથી. લાલચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ અમે લાલચોકની વચ્ચોવચ ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા પણ લગાવ્યા છે.

સુરતના અજયસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડરવા આવ્યા નથી, અમારો ધર્મ બતાવવા આવ્યા છીએ. પાકિસ્તાનીઓ ગમે તેટલા પ્રયાસો કરે, તેમનાં ઈરાદા ક્યારેય સફળ થવા દઇશું નહીં. લાલચોકમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા અને લોકોનું મોરલ વધારવા અપીલ કરી છે કે ડર્યા વગર તમે પણ અહીં આવી શકો છો.”યુવકોએ લાલચોક બાદ પહેલગામના નરસંહાર સ્થળ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર, WhatsApp દ્વારા પણ મળશે રિઝલ્ટ

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) આવતીકાલે એટલે કે 6 મેના રોજ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.…

કેન્દ્ર સરકારનો ગુજરાત માટે મોટો નિર્ણય: બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો હેઠળ રાજ્યમાં ₹3,900 કરોડથી વધુના રોકાણ સાથે બે નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *