વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ઘટના બાદ રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તપાસ ચાલુ છે, વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Related Posts

પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો…

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *