વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ઘટના બાદ રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તપાસ ચાલુ છે, વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Related Posts

ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ, રાજ્યના 40 શિક્ષકોનું થશે સન્માન

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ માટે રાજ્યના 40 પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા આ શિક્ષકોને રાજ્ય કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ થયેલી ચકાસણી અને સમિતિની ભલામણ બાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કરીને અંતિમ પસંદગી કરી હોવાનું જણાવાયું છે. ચારેય ઝોનમાંથી પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓના પરિણામો, નવીન પ્રવૃત્તિઓ, શાળાના વિકાસમાં યોગદાન, સામાજિક જવાબદારી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાતંત્ર્ય દિવસ સંદેશ: ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’નો સંકલ્પ

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વતંત્રતા માટે બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીને તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીના આઠ દાયકા પૂર્ણ કરીને ભારત હવે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં દેશના ગૌરવ અને સ્વાભિમાનને જાળવીને ભારતને વિશ્વમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. 2035 ગુજરાત માટે મહત્વનું વર્ષ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં 2035ના વર્ષને ગુજરાત માટે વિશેષ ગણાવ્યું હતું. 2047માં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાશે, તે પહેલાં 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *