Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઘટનાની વિગત:
કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક પ્રહારોના કારણે ડ્રાઇવરના મોત થયું હોવાનો અનુમાન છે.

પોલીસ તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ડ્રાઇવરના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મરદેહને મોકલવામાં આવ્યો છે. પોલીસએ હાલમાં ઘટનાને લઇ પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.

Related Posts

આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!

આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *