Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે. મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી.

આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો :- રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે.આગ એટલી વિકરાળ હતી કે એના કારણે ફ્લોર પર રહેલા બન્ને ફ્લેટના મુખ્ય દરવાજા બળીને ખાક થઇ ગયા હતા અને ફ્લેટના અંદરના ભાગે થોડું નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ફ્લેટમાં અંદર કોઈ નહોતું, જેથી મોટી જાનહાનિ થતાં અટકી હતી.

આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ :- બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે FSL તેમજ PGVCLની મદદ લેવામાં આવી છે. માલવિયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે. તેમજ આ બિલ્ડિંગમાં ફાયર NOC હતું કે કેમ BU પરમિશન હતી કે, કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *