Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત થઈ રહી છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ કહેવામાં આવી રહી છે, જે શનિવારથી ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ :- પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે આ પુલ કામ ચલાઉ છે ત્યારે આ પુલ ઉપર નીચે ભૂંગળા છે અને ઉપરના ભાગે પ્લાસ્ટિકની બેગની અંદર રેતી અને ગોળ પથ્થર ભરીને ઉપર પુરાણ કરવામાં આવ્યું છે.અલગ-અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવે છે તેમજ નાવડીયો જે રેંગણથી રામપુરા સુધી ચાલશે એમાં 100 જેટલી નાવડીઓ ચાલશે.

આ પણ વાંચો :- Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરાઈ :- નર્મદા નદી કિનારે કોઈ ન જાય તે માટે બેરીકેટ પણ મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરીકેટ મૂકવામાં આવ્યા છે તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે કારણ કે ખાસ કરીને શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે અને મગરનો પણ ભય છે ઉલ્લેખનિય છે કે આ વખતે શ્રદ્ધાળુ અને સ્નાન કરવા માટે અહીંયા ચાર સ્થળે પર ફુવારા મૂકવામાં આવશે જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પરિક્રમા માર્ગ પર દરેક જગ્યા એ cctv કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *