રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે.

આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન:- હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.

કયાં કેટલું તાપમાન નોંધાયું?:- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ 41.5 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યું,ગાંધીનગર અને ડીસામાં 40.6 ડિગ્રી,વડોદરા 40.6 ડિગ્રી,અમરેલી 40.3 ડિગ્રી,રાજકોટ 40.7 ડિગ્રી,સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી,ભુજ 38.4 ડિગ્રી,ભાવનગર 38.7 ડિગ્રી,કેશોદ 39.2 ડિગ્રી અને પોરબંદર 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *