Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ કર્યો કે સગીરના વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં કેમ વાહન આપ્યું. આ દરમિયાન કેટલાક વાલીઓએ મનઘડત કારણો આપતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વાલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 11 વાલીઓ સામે MV એક્ટ કલમ 180,5 મુજબ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત

કાયદાનો કડક અમલ કરાવવા તંત્ર સજ્જ :- છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આીવી છે. છતાં પણ આજે રીલના ચક્કરમાં સગીર બાળકો રોફ જમાવવા વાહન હંકારતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. જેને લઈને મહેસાણામાં RTO અને પોલીસે સંયુક્તપણે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ખાસ કરીને શાળા પાસે સગીર વાહન ચાલકો વધુ પ્રમાણમાં જોવા મળતા ચેકિંગ હાથ ધર્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *