જાપાનના હોન્શુ ટાપુ નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

જાપાનના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા હોન્શુ ટાપુ નજીક ગુરુવારે 6.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો ભયભીત થઈને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.

જાપાનની જાપાન હવામાન એજન્સી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપના ઝટકાઓ ખાસ કરીને ટાપુના પૂર્વ કિનારાના વિસ્તારોમાં વધુ અનુભવાયા હતા. ભૂકંપ પછી સૌથી મોટી ચિંતા સુનામીની હતી, પરંતુ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સુનામી ચેતવણી જારી કરવામાં આવી નથી. આ માહિતી મળતાં જ લોકોને થોડી રાહત મળી હતી. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવા માટે સત્તાવાળાઓએ દેખરેખ વધારી છે.

અહેવાલ મુજબ, ભૂકંપના ઝટકાઓ એટલા જોરદાર હતા કે લોકો તરત જ સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા હતા. હાલ સુધી કોઈ મોટા જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે કન્સાઇ ક્ષેત્ર માં 4.2 તીવ્રતાનો નાનો ભૂકંપ નોંધાયો હતો. ક્યોટો અને હ્યોગો પ્રીફેક્ચર ના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. આ ઘટનાઓ દર્શાવે છે કે આ વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિમાં થોડો વધારો નોંધાઈ રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ…

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026 : દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મળ્યું ગૌરવ,ખેડૂત શક્તિનો સન્માન સમારોહ

“ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતીના સાચા આધારસ્તંભ છે. ખેતરોમાં દિવસ-રાત મહેનત કરનાર ખેડૂતોના પરિશ્રમથી જ દેશના વિકાસને ગતિ મળે છે.…