હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે.

હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે કડક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા કામગીરીનો અહેવાલ મુકવામાં આવ્યા બાદ રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. આ બાબતે હવે કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે.

અમદાવાદમાં હવે જો તમે રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તો ચેતી જજો. કારણ કે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદમાં હવે રોંગ સાઈડ વાહન ચલાવ્યુ તો FIR દાખલ થશે. આ તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે. ટ્રાફિક પોલીસે 21 માર્ચના દિવસે 22 લોકો સામે FIR , 22 માર્ચના દિવસે 51 લોકો સામે FIR અને ટ્રાફિક પોલીસે 23 માર્ચના દિવસે 35 લોકો સામે FIR કરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *