સુરેન્દ્રનગર : ચલાલાના અમરધામ ખાતે શિવ કથાનું ઉમંગભેર સમાપન થયું

B INDIA : ચલાલા અમરધામ ખાતે શિવ કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગસાહેબની 12મી નિર્વાણતિથિ નિમિત્તે ભવ્ય શિવ કથા, સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.ચુડા તાલુકાના ચલાલા ગામે અમરધામ આશ્રમ ખાતે બ્રાહ્મણ સદ્ગુરુ હરિસંગ સાહેબના 12મા નિર્વાણતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગીરીબાપુએ ભવ્ય પ્રવચન કર્યું હતું.

 

 

–>શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું:-

 

 

જેમાં વિશ્વવિખ્યાત સંતવાણી ઉપાસકો દ્વારા રાત્રે ભવ્ય સંતવાણી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તિ ભજન અને ભોજન ત્રિવેણી સંગમની ધારાઓ વહેતી થઈ હતી. જેમાં અંદાજે દોઢ લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન અને શ્રવણ અને અન્નકૂટનો લાભ લીધો હતો. 9 દિવસ અવિરત સેવા આપનાર ભૂદેવ પ્રતિકભાઈ મહેતા અને નીલભાઈ એ દિવસ-રાત વધુ જોયા વગર તેમની અદ્ભુત સેવા કરી.સમસ્ત ચલાલા ગામના યુવાનો, બાળકો, વડીલો અને બહેનોએ ખૂબ જ ભક્તિભાવથી શિવ કથાનું શ્રવણ કર્યું હતું અને આ સેવામાં સેવા આપી હતી. તે બદલ પરમ પૂજ્ય ભક્તભૂષણ જનકસિંહ સાહેબ બાપુએ કથાના અંતે તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

    આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

    કેન્દ્રીય મંત્રીમંડળના ચાર મોટા નિર્ણયો: PM-Kisanને 5 વર્ષની મુદતવધારો, ‘સમુદ્ર મંથન’ યોજનાને મંજૂરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ખેડૂતોની આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જાના પ્રોત્સાહન, રમતગમતના વિકાસ અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયો દેશના કરોડો નાગરિકો માટે લાભદાયી સાબિત થશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળના PM-Kisan યોજનાને પાંચ વર્ષનો વધારો કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રીમંડળની બેઠકમાં સરકારના જણાવ્યા મુજબ, યોજના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *