રાજકોટમાં GST વિભાગનો સપાટો, પાન મસાલાના હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા

B INDIA રાજકોટ : રાજ્યના છેલ્લા ઘણા સમયથી GST વિભાગ સતર્ક થયું છે. અને અલગ – અલગ જિલ્લાઓમાં વેપારીઓને ત્યા દરોડાનો દોર શરૂ કર્યો છે. અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે.રાજકોટમાં તમાકુનાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી – અલ્કા સેલ્સ – જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ સ્ટેટ GST વિભાગ દ્વારા અલગ અલગ દિવસોમાં વિવિધ એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લગ્ન પ્રસંગ સંબંધિત ચીજોનું વેચાણ કરતા વેપારીઓ તેમજ વેડિંગ ગારમેન્ટસના વેપારીઓને ત્યાં પણ સર્ચ કરીને કરચોરી પકડી હતી. આ વેપારીઓ સામે તપાસ કરતા બિલ વગર વેચાણનો પર્દાફાશ થયો હતો.

Related Posts

“દક્ષિણ ગુજરાતના વિકાસ પર સરકારનું ફોકસ: સુરત અને વલસાડની મુલાકાતે મુખ્યમંત્રી.”

મુખ્યમંત્રીનો દક્ષિણ ગુજરાત પ્રવાસ: સુરત અને વલસાડમાં વિકાસ કાર્યોની ભેટ અને સમીક્ષા સુરત/વલસાડ: ગુજરાતના મુખ્યમંત્રીએ આજે દક્ષિણ ગુજરાતના બે મહત્વપૂર્ણ જિલ્લાઓ સુરત અને વલસાડના એક દિવસીય પ્રવાસ દરમિયાન અનેક વિકાસ…

Ahmedabad Jagnnath Rath Yatra 2026: પ્રથમવાર હાથીઓ માટે હાઈટેક સુરક્ષા, 18 હાથી પર લગાવાશે CCTV અને ડેસિબલ મીટર

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટનામાંથી બોધપાઠ લઈને આ વખતે પ્રથમવાર રથયાત્રામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *