વડોદરામાં ભરશિયાળે પાણીની સમસ્યા સર્જાઈ, ગોરવામાં પાઈપલાઈનની કામગીરી શરૂ

B INDIA વડોદરા : વડોદરામાં આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે. કોર્પોરેશન દ્વારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરાઈ છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડશે. તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો વિતરણ થશે.

-> આ વિસ્તારોમાં નહીં મળે પાણી :- ગોરવા પાણીની ટાંકી ખાતેથી આજે સાંજના સમયે વિતરણ થતાં ઝોન (1) બપોરે 04થી 05 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, (2) સાંજે 06થી 07 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

Related Posts

“દક્ષિણ ગુજરાતના વિકાસ પર સરકારનું ફોકસ: સુરત અને વલસાડની મુલાકાતે મુખ્યમંત્રી.”

મુખ્યમંત્રીનો દક્ષિણ ગુજરાત પ્રવાસ: સુરત અને વલસાડમાં વિકાસ કાર્યોની ભેટ અને સમીક્ષા સુરત/વલસાડ: ગુજરાતના મુખ્યમંત્રીએ આજે દક્ષિણ ગુજરાતના બે મહત્વપૂર્ણ જિલ્લાઓ સુરત અને વલસાડના એક દિવસીય પ્રવાસ દરમિયાન અનેક વિકાસ…

Ahmedabad Jagnnath Rath Yatra 2026: પ્રથમવાર હાથીઓ માટે હાઈટેક સુરક્ષા, 18 હાથી પર લગાવાશે CCTV અને ડેસિબલ મીટર

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટનામાંથી બોધપાઠ લઈને આ વખતે પ્રથમવાર રથયાત્રામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *