પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર તાલિબાનનો હુમલો, 19 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.

આ હુમલાથી ગુસ્સે થઈને, તાલિબાને ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની પોસ્ટ કબજે કરવાનો પણ દાવો કર્યો છે.તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને સ્વીકારતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા પર હુમલો કર્યા બાદ ડ્યુરન્ડ લાઈનનો મુદ્દો ફરી ગરમાયો છે.

-> હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે :- તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે શનિવાર રાત સુધી લડાઈ ચાલુ રહી હતી. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ચાલુ સંઘર્ષને જોતા હજારો અફઘાન નાગરિકોને સરહદી વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું પડ્યું છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ડ્યુરન્ડ લાઇનની નજીકના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ હતી, પરંતુ તાલિબાનના હુમલામાં માત્ર 1 પાકિસ્તાની સૈનિકનું મોત થયું છે.

-> અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે :- અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં બંને દેશો વચ્ચે દોરેલી ડ્યુરન્ડ રેખાને કાલ્પનિક રેખા ગણાવી છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ’28 ડિસેમ્બરે આ હુમલો પાકિસ્તાનના તે વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાંથી અફઘાન જમીન પર હુમલા કરવામાં આવ્યા હતા.

-> તાલિબાન ડ્યુરન્ડ લાઇન સ્વીકારતું નથી :- ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇનને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની કોઈપણ સરકારે અંગ્રેજો દ્વારા દોરેલી આ સરહદ રેખાને ક્યારેય સ્વીકારી નથી. તેઓ હંમેશા તેને કાલ્પનિક રેખા કહે છે. તાજેતરમાં જ્યારે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘અમે માનતા નથી કે આ પાકિસ્તાનનો વિસ્તાર છે. આ માત્ર એક કાલ્પનિક રેખા છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *