પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત છે કે,બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. પાંચથી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો હાલ તમામ મુસાફરો સારવાર હેઠળ છે. પોલીસે તમામના નિવેદનો લીધા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ પણ કરી છે.
આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ
-> સુરતથી ફતેપુરા જતી હતી બસ :- સૂત્રો તરફથી વાત માનીએતો ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી. બસ સુરતથી ફતેપુરા તરફ જઈ રહી હતી અને બસ મુસાફરોથી ભરેલી હતી. બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કામગીરી પણ શરૂ કરી છે. જે મુસાફરોની તબિયત સારી છે તે લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તો અન્ય વધુ ગંભીર મુસાફરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Follow us On Social Media
🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






