ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
-> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો ઉચકાતા ગરમીનું પ્રમાણ વધતાં લોકો અત્યારેથી જ ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બનશે.
-> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાવાના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મહાનગરોમાં મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી જોવા મળ્યું જ્યારે નલિયા 14.6 ડિગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું. ડીસામાં 17.2 ડિગ્રી , કેશોદમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 18.4 ડિગ્રી, રાજકોટમાં 19.5 ડિગ્રી અમદાવાદમાં 22.3 ડિગ્રી, ગાંધીનગરમાં 21.2 ડિગ્રી, વડોદરામાં 22.4 ડિગ્રી અને સુરતમાં 22.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.






