Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કડક અવતાર જોવા મળ્યો. ગૃહની શિસ્ત, ધારાસભ્યોનું વર્તન અને નિયમોનું પાલન ન થવાની બાબતે તેમણે ખુલ્લી ટકોર કરી. તેમણે નોંધ્યું કે, ઘણા ધારાસભ્યો ગૃહની પ્રક્રિયાઓથી અજાણ છે અને ગૃહની ગૌરવશાળી પરંપરાને યોગ્ય રીતે સંભાળવી જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે ઘણો સમય થયો હવે તમામને શીખવાડવાનું ન હોય. ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત ન કરે અને ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ. આ ઉપરાંત અધ્યક્ષે મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને ટકોર કરી હતી.

ગૃહમાં અધિકારીઓને વિધાનસભાના અધ્યક્ષે માગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સુચના અપાઈ હતી. મંત્રી કુંવરજી હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન માગણીઓ રજૂ કરતી વખતે વિભાગના સચિવો હાજર ન રહેતા અધ્યક્ષે ટકોર કરી હતી.

ચૌધરીએ ગૃહમાં વધતી ગેરશિસ્ત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. ધારાસભ્યો ગૃહની મહત્વપૂર્ણ ચર્ચાઓ દરમિયાન અનફોર્મલ વર્તન કરે છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટપણે દંડકોને આદેશ આપ્યો કે, ધારાસભ્યોને ગૃહની પ્રક્રીયાઓ અને નિયમોની યોગ્ય સમજ આપવી જરૂરી છે.

આજની કાર્યવાહી દરમિયાન વિધાનસભાના ગૌરવને જાળવવા માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે કડક શબ્દોમાં જણાવ્યુ હતુ કે, હવે ગૃહમાં શિસ્તનું પાલન કરવું જ પડશે. આજના તેમના વલણથી ધારાસભ્યો માટે એક સ્પષ્ટ સંદેશો છે. વિધાનસભાની ગૌરવસભામાં કોઈપણ અનિચ્છનીય વર્તનને છૂટ આપી શકે નહીં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *