ખેડામાં 3 લોકોના શંકાસ્પદ મોત, પોલીસને લઠ્ઠાકાંડની આશંકા !

B INDIA ખેડા : ખેડાના નડિયાદમાં ત્રણ લોકોનાં મોત થતા ચકચાર માચી ગઈ છે. જવાહરનગરમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી આ મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે, જયારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા શોકનો માહોલ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી મોત થયું હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કયા કારણોસર મોત થયું તેની સાચી માહિતી હાલ તો સામે આવી નથી. પરંતુ પરિવારજનોનો એવો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયા છે. પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે. ઘટનાની જાણ થતાની સાથે જ એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અને મૃતકોના લોહીના સેમ્પલ પણ લીધા છે. પોલીસનું કહેવું છે કે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તમામ દેશી દારૂના અડ્ડા બંધ થઈ ગયા હતા. દેશી દારૂના વેચાણને લઈ પોલીસ અજાણ હશે કે, શું તેવો સવાલ પણ થાય છે,ત્યારે પરિવારને જ ખબર હશે કે તેમના પર કેવો દુખનો પહાડ હશે. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *