કચ્છમાં મધરાત્રે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ

B INDIA કચ્છ : કચ્છનાં રાપર નજીક મોડી રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે, ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે.

-> ભૂકંપ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવું :- ભૂકંપ દરમિયાન ક્યારે પર ઘરના દરવાજા, બારીની નજીક ન ઊભું રહેવું જોઈએ. કાચની બારી છે તો તેનાથી દૂર રહેવું કારણ કે આનું તૂટવાનું જોખમ વધારે રહે છે. ભૂકંપના ઝટકા જ્યારે બંધ થઈ જાય તો તરત બારી અને દરવાજા ન ખોલવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ઘણી વાર ઝટકાના કારણે આને ક્રેક થવાનું જોખમ વધી જાય છે, જેથી તેમે ઇજાગ્રસ્ત થઇ શકો છો.

ભૂકંપ દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક સામાનને ન ચલાવવો, સ્વિચ બોર્ડથી દૂર રહેવું. આ દરમિયાન માત્ર ફર્નિચર, ટેબલની નીચે બેસી જવું, જેનાથી ભાંગતૂટ થવા પર તમારે નુકસાન ઓછી થાય. ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરથી નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

Related Posts

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *