કચ્છમાં મધરાત્રે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ

B INDIA કચ્છ : કચ્છનાં રાપર નજીક મોડી રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે, ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે.

-> ભૂકંપ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવું :- ભૂકંપ દરમિયાન ક્યારે પર ઘરના દરવાજા, બારીની નજીક ન ઊભું રહેવું જોઈએ. કાચની બારી છે તો તેનાથી દૂર રહેવું કારણ કે આનું તૂટવાનું જોખમ વધારે રહે છે. ભૂકંપના ઝટકા જ્યારે બંધ થઈ જાય તો તરત બારી અને દરવાજા ન ખોલવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ઘણી વાર ઝટકાના કારણે આને ક્રેક થવાનું જોખમ વધી જાય છે, જેથી તેમે ઇજાગ્રસ્ત થઇ શકો છો.

ભૂકંપ દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક સામાનને ન ચલાવવો, સ્વિચ બોર્ડથી દૂર રહેવું. આ દરમિયાન માત્ર ફર્નિચર, ટેબલની નીચે બેસી જવું, જેનાથી ભાંગતૂટ થવા પર તમારે નુકસાન ઓછી થાય. ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરથી નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

Related Posts

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *