આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે આ યોજના માટે નોંધણી 31 ડિસેમ્બરથી શરૂ થશે. મંગળવારે હું પોતે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી તેની શરૂઆત કરીશ. પછી, અમારા બધા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં નોંધણી કરાવશે.જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે.આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે.
-> ભાજપના નેતાઓને આ અપીલ કરી હતી :- AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના,સંજીવની યોજના તેમજ પૂજારીઓ અને પુરોહિતોને માનદ વેતન આપવાની યોજનાનો વિરોધ ન કરે, નહીંત તેમને દોષ લાગશે
-> રોહિંગ્યાઓના પ્રશ્નનો આ જવાબ આપ્યો :- દિલ્હીમાં ગેરકાયદે રોહિંગ્યાઓની સતત ધરપકડ પર તેમણે કહ્યું કે આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની ધરપકડ થવી જોઈએ. તેમની પાસે આ સંબંધિત સંપૂર્ણ ડેટા છે. તેમના ડેટા પરથી ખબર પડશે કે તેઓ ક્યાં, કોણ અને કેવી રીતે સેટલ થયા હતા?
-> ‘માણસ અને ભગવાન વચ્ચે સેતુનું કામ કરે છે’ :- દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ યોજના સમાજના એવા લોકો માટે છે જેમની કોઈ સરકાર કે સંસ્થાએ ક્યારેય કાળજી લીધી નથી. તેમણે કહ્યું કે આ લોકો મંદિરો અને ગુરુદ્વારા દ્વારા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરે છે. તેઓ સામાન્ય જીવનમાં નૈતિક મૂલ્યો જાળવવામાં પણ ફાળો આપે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ મનુષ્ય અને ભગવાન વચ્ચે સેતુનું કામ કરે છે.






