ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું છે કે શું હવે આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?

આ પણ વાંચો :- મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત

એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે હાસ્ય કલાકાર કુણાલ કામરાએ કોઈને દેશદ્રોહી કહ્યા, ત્યારે એકનાથ શિંદેની પાર્ટીના સભ્યોએ કહ્યું કે અમારા નેતાને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને તેમનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથને પૂછીએ છીએ કે શું આ તોડફોડ કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે કે નહીં. નાગપુરમાં ઇરફાન અંસારીની હત્યા કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે. તમે ફક્ત મુસ્લિમોના ઘર તોડી રહ્યા છો.”

‘અમે કોઈની સામે ઝૂકીશું નહીં’ :- કુણાલ કામરાને ધમકી આપનારાઓના ઘર તોડી પાડવામાં આવી રહ્યા નથી. તોડફોડ કરનારાઓને જામીન મળી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે એવું લાગી રહ્યું હતું કે પોલીસ તેમની સાથે છે. ઓવૈસીએ કહ્યું, “કોઈ પણ લાંબા સમય સુધી સત્તામાં રહેવાનું નથી. ભારતમાં રાજાઓના મહેલો ઉજ્જડ છે, તમારા મહેલો પણ ઉજ્જડ થઈ જશે. જો તમે વિચારી રહ્યા છો કે અમે નમીશું, તો યાદ રાખો કે અમે ફક્ત અલ્લાહને જ નમીએ છીએ, તે સમયના યઝીદીઓ અને ફારુનોને નહીં.”

આ પણ વાંચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’

તોડફોડના કેસમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી :- તમને જણાવી દઈએ કે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના કાર્યાલયમાં તોડફોડના કેસમાં 11 શિવસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી. ખાર પોલીસે આ આરોપીઓને બાંદ્રા કોર્ટમાં રજૂ કર્યા. ખાર પોલીસે આ કેસમાં કુલ 19 લોકોના નામ નોંધાવ્યા હતા અને 15 થી 20 અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. તોડફોડની ઘટના બાદ પોલીસે શિવસેનાના 11 કાર્યકરોની ધરપકડ કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *