મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો.
આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
8-10 કલાક થઈ રહી છે પૂછપરછ
સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIA તપાસકર્તાઓ દ્વારા રાણાની દરરોજ લગભગ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 238 થી વધુ ઘાયલ થયા હતા.
રાણાએ શું માંગ્યું !
એક સૂત્રએ જણાવ્યું કે, રાણા પૂછપરછ દરમિયાન સહયોગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મુખ્ય તપાસ અધિકારી જયા રોયના નેતૃત્વમાં NIA અધિકારીઓની એક ટીમ તેમની સતત પૂછપરછ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાણાએ અત્યાર સુધી ફક્ત ત્રણ વસ્તુઓ માંગી છે – એક પેન, કાગળ અથવા નોટપેડ અને કુરાન. જે તેમને NIA દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







