Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ

વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની સામે આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓને FRCએ નક્કી કરેલી ફી લેવાની હોય છે. ત્યારે આ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવવામાં આવે છે. વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ

મળતી માહિતી મુજબ, પોદાર સ્કૂલ દ્વારા સિનિયર કેજીમાં 33 હજાર સામે 51 હજાર 360 ફી, જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર ફી, નર્સરીમાં 33 હજાર સામે 43 હજાર 200 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત દરેક ધોરણમાં 12 હજારથી 15 હજાર વધુ ફી વસૂલવામાં આવતા વાલીઓને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે વધુ લીધેલી ફી પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ફી પરત કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદની LG હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

સમગ્ર ઘટનાને લઇ વાલીઓ દ્વારા શાળા ,જિલ્લા શિક્ષણાધિકારી અને FRCમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં વાલીઓને કોઇ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે શાળામાં ભણતા બાળકોના માતાપિતાને ભારે મુશ્કેલી વેઠવાની વારી આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *