પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના ખાડી દેશના સહયોગનો ભરોસો ગુમાવી દીધો છે.
UAEનો નિવેદન અને રાજકીય દૃષ્ટિકોણ
UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં “રસનો અભાવ” હોવાનું કારણ બતાવ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય પાછળ પાકિસ્તાનની આર્થિક નબળાઈ, આંતરિક રાજકીય અસ્થિરતા અને સુરક્ષા મુદ્દા મુખ્ય કારણ છે. શાહબાઝ શરીફે તાજેતરમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી ‘શાંતિ બોર્ડ’માં ભાગ લીધો હતો, પરંતુ UAEના આ કડક નિર્ણયો સામે તે નિષ્ફળ રહ્યું.
ભારત-UAE સંબંધો મજબૂત
બીજી તરફ, ભારત અને UAEના સંબંધો ‘સુપર ફાસ્ટ ટ્રેક’ પર દોડે છે. એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશોની ભાગીદારી દક્ષિણ એશિયામાં શક્તિનું નવું સંતુલન ઉભું કરી રહી છે. UAE દ્વારા પાકિસ્તાનના એરપોર્ટ ડીલ રદ કરવું સ્પષ્ટ સંકેત છે કે ખાડી દેશો હવે માત્ર સ્થિર અને વ્યવહારુ અર્થતંત્ર સાથે સહયોગ કરવા ઈચ્છે છે.
આ ઘટનાથી પાકિસ્તાનમાં અન્ય વિદેશી રોકાણકારો પાછળ હટવાની શક્યતા વધે છે, જે દેવામાં દબાયેલા દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. UAEનો નિર્ણય પાકિસ્તાન માટે મોટી આર્થિક અને રાજકીય ઝટકો છે, જ્યારે ભારત માટે આ વિશ્વસનીય સહયોગ અને રોકાણનું નવું માહોલ બનાવનાર સંકેત છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






