કાલે બુદ્ધ પૂર્ણિમા: દાન અને સાધનાથી જીવનમાં લાવો શાંતિ અને સમૃદ્ધિ

આવતીકાલે પવિત્ર બુદ્ધ પૂર્ણિમા નો તહેવાર ઉજવવામાં આવશે, જે ગૌતમ બુદ્ધ ના જીવન અને ઉપદેશોને સમર્પિત છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ તહેવાર શાંતિ, કરુણા અને અહિંસાનો સંદેશ આપે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 1 મે 2026, શુક્રવારે ઉજવાશે.

પંચાંગ મુજબ પૂર્ણિમા તિથિ 30 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 9:13 વાગ્યે શરૂ થઈને 1 મેની રાત્રે લગભગ 10:52 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર 1 મેના રોજ તહેવાર ઉજવાશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય પછીનો સમય પૂજા, ધ્યાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો સંદેશ આપે છે. આ દિવસ આપણને શાંતિપૂર્ણ જીવન, સહાનુભૂતિ અને સાદગી અપનાવવા પ્રેરણા આપે છે.

આ દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન બુદ્ધની પૂજા કરે છે, ધ્યાન કરે છે અને બૌદ્ધ વિહાર જઈ પ્રાર્થના કરે છે. અનેક સ્થળોએ ઉપદેશો, સ્તોત્રો અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ દિવસ આત્મચિંતન અને માનસિક શાંતિ મેળવવાનો ઉત્તમ અવસર માનવામાં આવે છે.

દાનનું વિશેષ મહત્વ
બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ આ દિવસે કરેલું દાન જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. અનાજ જેમ કે ચોખા અને ઘઉં, રાંધેલું ભોજન તથા ફળોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તરસ્યા લોકોને પાણી, શરબત અથવા ઠંડા પીણા આપવાનું વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. જરૂરિયાતમંદોને સુતરાઉ કપડાં, છત્રી, ચંપલ અથવા પંખાનું દાન કરવું પણ ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત ગોળ, ખાંડ, ખીર જેવા મીઠા ખોરાકનું દાન કરવાથી જીવનમાં મધુરતા અને સુખ-શાંતિ આવે છે એવી માન્યતા છે. બુદ્ધ પૂર્ણિમાનો આ પાવન તહેવાર દરેકને સકારાત્મક વિચારસરણી અપનાવીને શાંતિપૂર્ણ અને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે.

 

 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…