ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી: પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની શક્યતા, હોર્મુઝ સંકટથી વૈશ્વિક ચિંતા વધી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે વૈશ્વિક તેલ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વનો મહત્વનો સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ હજી સુધી સંપૂર્ણપણે ખુલ્લો નથી, જેના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર ગંભીર અસર પડી છે.

ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પ્રતિ બેરલ ભાવ 126 ડોલર સુધી પહોંચતા છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. નિષ્ણાતોના મતે, પરિસ્થિતિ યથાવત રહી તો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં સર્જાયેલા અવરોધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે, જેના સીધા પ્રભાવ તરીકે અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા છે.

આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશોને ગુપ્ત સંદેશ મોકલી આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા અપીલ કરી છે, જેથી હોર્મુઝમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરી શકાય. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આ માટે ડિપ્લોમેટિક સ્તરે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

બીજી તરફ ઈરાને અમેરિકાની નીતિઓની ટીકા કરતાં જણાવ્યું છે કે, તેની ક્રૂડ ઓઈલ ઉત્પાદન ક્ષમતા પર કોઈ અસર થઈ નથી અને હાલના સંજોગોમાં ભાવ વધતા રહેવાની શક્યતા છે.

આ સમગ્ર પરિસ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર પર અસર પાડવાની આશંકા વધારી છે. ભારત સહિત અનેક દેશોમાં ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જે સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક ઝાટકો સાબિત થઈ શકે છે.

 

 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…